Saturday 24 September 2016

ઝિંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન”


૨૦૧૬ માં દુનિયા માં ૩.૭ કરોડ લોકો એચ.આઈ.વી ગ્રસ્ત છેજેમાં થી ફક્ત ૧.૬ કરોડ લોકો જ એચ.આઈ.વી ની સારવાર લઇ રહયા છે૨૦૧૪ માં ૨૦ લાખ લોકો ને એચ.આઈ.વી નો નવો ચેપ લાગ્યો છે

        ગુજરાત માં સૌથી વધારે એચ.આઈ.વી ની સમસ્યા ધરાવતા સુરત શહેર માં સુરત ના એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિસમાજ સેવકો અને ડોકટરો ના સંયુક્ત પ્રયાશો દ્વારા રાહત દરે સેવા આપતી ઝિંદગી ફાઉન્ડેશન ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન સંસ્થાનું રજિસ્ટ્રેશ મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપના ૧ ડીસેમ્બર ૨૦૧૫વિશ્વ એઇડ્સ દિવસ ના દિને કરવા માં આવી હતી.

ઝિંદગી ફાઉન્ડેશન ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન નો ઉદેશ્ય ૨૦3૦ સુધી માં ગુજરાત માં નવા એચ.આઈ.વી નો ચેપ ન્યૂનતમ કરવોએઇડ્સ ને કારણે મૃત્યુ ની સંખ્યા શૂન્ય કરવી અને એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિ સાથે થતા ભેદભાવ દૂર કરવા.

સંસ્થા નો લક્ષ્ય ૨૦3૦ સુધી માં  ૯૦-૯૦-૯૦ નો લક્ષ્ય હાંસલ કરવાનો છે૯૦-૯૦-૯૦ જેનો અર્થ છે કે ૨૦3૦ સુધી માં ગુજરાત માં જેટલા લોકોને એચ.આઈ.વી છે તેમાં ના ૯૦ ટકા લોકો નું એચ.આઈ.વી નું નિદાન કરવું અને વ્યક્તિ ને જાણ કરવી  કે એચ.આઈ.વી ગ્રસ્ત છેહાલ માં ગુજરાત માં રહેલા કુલ એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિ માંથી અંદાજે ફક્ત ૭૦ ટકા જ લોકો જાણે છે કે તેમને એચ.આઈ.વી નો ચેપ લાગેલ છે૨૦૩૦ સુધી માં જેટલો લોકો નું એચ.આઈ.વી ગ્રસ્ત લોકો નું  નિદાન થાય તેમાં થી ૯૦ ટકા લોકો ને એચ.આઈ.વી ની દવા અને નિયમિત સારવાર પર મુકવાહાલ માં જે લોકો ને જાણ છે તેમાં થી અંદાજે ફક્ત ૪૦ ટકા લોકો જ નિયમિત યોગ્ય દવા લઈ રહયા છેઅને  જે વ્યક્તિ ની સારવાર ચાલતી હોય તેમાંથી ૯૦ ટકા લોકો માં એચ.આઈ.વી ના વાયરસ ને કાબુ માં રાખી ન્યૂનતમ સ્તરે રાખી સ્વસ્થ અને સંપૂણ જીવન અપાવવુંહાલ માં જે લોકો ની દવા ચાલે છે તેમાંથી અંદાજે ફક્ત ૩૦ ટકા દર્દીઓ માં જ વાયરસ પર કાબુ રાખી ન્યુનતમ સ્તરે છે.

ફાઉન્ડેશન નો ઉદેશ્ય ૨૦૩૦ સુધી માં ગુજરાત માંથી એચ.આઈ.વી ની મહામારી નો અંત લાવી ગુજરાત માં એચ.આઈ.વી ની સમસ્યા ભારત ખાતે ન્યુનતમ કરવી.

આ સંસ્થા દ્વારા જુદા જુદા પ્રોગ્રામો દ્વારા એચ.આઈ.વી સંબંધિત વિના મુલ્યે વિવિધ સેવાઓ આપવા માં આવશે જેમાં મેરેજ બ્યુરો વિવાહ”, કાઉન્સેલિંગ જાણકારી એ જ ઈલાજ”, જન જાગૃતિ સંયમ અને સુરક્ષાએચ.અએ.વી અને એઇડ્સ સામે રક્ષા”, એચ.આઈ.વીગ્રસ્ત લોકો ને સક્ષમ અને સ્વનિર્ભર બનાવવામાનસિક અને સામાજિક રીતે આધાર આપવોગેર માન્યતાઓ અને તેને લગતા ભેદભાવો દુર કરવાએચ.આઈ.વી અને એઇડ્સ ની સારવાર માં વપરાતી દવા માં ૫૦ ટકા સુધી રાહત આપવા માં આવે છેગરીબ દર્દી ઓ માટે વહેલું નિદાનસ્વસ્થ અને સંપૂણ જીવન” કાર્યકમ અંતર્ગત એચ.આઈ.વી ની લેબોરેટરી તપાસ વિના મુલ્યે કરી આપવા માં આવશેચાલો સૌવ સાથે મળી ને ૨૦૩૦ સુધી માં ગુજરાત ને એચ.આઈ.વી અને એઇડ્સ મુક્ત કરવા સંકલ્પ કરીએ.

       ઘણી વખત એવું જોવામાં આવતું હોય છે કે એચ.આઈ.વી ના દર્દીઓ એચ.આઈ.વી નું સાહિત્ય પોતાની સાથે રાખતા અચકાતા હોય છે કે જો કોઈ જોઈ જશે તો તેમની એચ.આઈ.વી ની બીમારી વિશે લોકોને ખ્યાલ આવી જશે અને આ ડરથી દર્દી એચ.આઈ.વી ની માહિતી એચ.આઈ.વી નું સાહિત્ય દ્વારા લેવાથી દુર રહેતા હોય છેઅમુક વખત પુરતી માહિતી ના હોવાથી દર્દી ને ઘણી મોટી કીમત પોતાના સ્વાસ્થ્ય ના સ્વરૂપ માં ચૂકવી પડતી હોય છે. એચ.આઈ.વી વિશે ઈન્ટરનેટ પર અંગ્રેજી ભાષા માં તો પુષ્કળ માહિતી છે પરંતુ  આઆપણા ગુજરાત રાજ્ય ના કરોડો લોકો અંગ્રેજી માહિતી ના જાણકાર ના હોવાને કારણે એચ.આઈ.વી ની યોગ્ય માહિતી મેળવી શકતા ના હતા. આ જ તકલીફ ના સમાધાન માટે ઝિંદગી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ની સૌ પ્રથમ એચ.આઈ.વી અને એઇડ્સ ની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષા માં બ્લોગ FORHIVFREE.BLOGSPOT.IN ની શરૂઆત કરવામાં આવી.  આજ ના ફેસબુક પ્રેમી યુવાનો ને યોગ્ય માહિતી તથા સવાલો ના જવાબ મળી રહે તે માટે Zindagi Foundation “For HIV free Generation” નામ નું પેજ પણ છે. 

ઝીંદગી ફાઉન્ડેશન ના દરેક સભ્ય હમેશા માનતા આવ્યા છે કે અમારી  જવાબદારી ફક્ત વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને સાજા કરવાની નથી હોતી પરંતુ સમાજની  દરેક વ્યક્તિ બીમાર ના પડે તેની જવાબદારી પણ અમારે જ લેવા ની હોય છે. આ જવાબદારી ના ભાગ રૂપે મેં સમાજ માં એચ.આઈ.વી નો ફેલાવો અટકે તે ઉદેશ્ય થી ઝીંદગી ફાઉન્ડેશન દ્વારા જન જાગૃતી નું કામ કરી રહયા છે. 

        એમ સમાજમાં એચ.આઈ.વીવિશેની જાગૃતિ  ફેલાવવા માટે સક્રિય રીતે કાર્યરત છે. આ માટે તેઓ ઝિંદગી ફાઊન્ડેશન ફોર એચ.આઈ.વીફ્રી જનરેશન” નામની સંસ્થા ની સ્થાપના કરી છેઆજના આધુનિક વિજ્ઞાને સિદ્ધકરી બતાવ્યું છે કે યોગ્ય સારવારથી એચ.આઈ.વીગ્રસ્ત વ્યક્તિ પણ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે છે. અમારી સંસ્થા ઉત્તમ સારવાર ની સાથે સાથે તેમના દ્વારા કરવા માં જન જાગૃતિ ના કાર્યક્રમ અને ટ્રેનીંગ માટે પણ એટલા જ જાણીતા છે. તે અત્યાર સુધી માં ૨૫ થી વધારે હોસ્પિટલ અને મેડીકલ એસોસીએશન ના ૨૦૦૦ કરતા પણ વધારે ડોક્ટર અને અન્ય  હેલ્થ કેર વર્કર ને ટ્રેનીંગ આપી ચૂકયા છે. આજ ના યુવાનો ઈન્ટરનેટ અને સોસ્યીલ મીડિયા જેમ કે ફેસબુક અને વોટ્સ અપ સાથે ખુબ સારી રીતે જોડાયેલ છે. આ માટે જ યુવાનો માં જાગૃતિ લાવવા માટે તેમણે  FORHIVFREE.BLOGSPOT.IN નામ નો બ્લોગ  ની શરૂઆત કરી. અનેક વખત એવું જોવા મળ્યું છે કે એચ.આઈ.વી સાથે જોડાયેલ સમાજ માં પૂર્વધારણા અને ગેરમાન્યતાઓ ને કારણે ઘણા લોકો એચ.આઈ.વી વિશે રૂબરૂ વાત કરવા માટે મુંજવણ અનુભવતા હોય છે. આ મુશ્કેલી દુર કરવા માટે અને  યુવાનો સાથે સીધી રીતે જોડાઈ શકે તે માટે ફેસબુક પેજ Zindagi Foundation "For HIV Free Generation" દ્વારા ઉપલબ્ધ રહીને યુવાનો ને તેમના સવાલો ના જવાબ આપવા ઉપરાંત એચ.આઈ.વી ની જાગૃતિ માટે પોસ્ટ મુકતા હોય છે.

2 comments: