Monday 19 September 2016

એચ.આઈ.વી નું નવું નિદાન અને તમે

(૧) જો કોઈ વ્યક્તિ નો રીપોર્ટ એચ.આઈ.વી (HIV) પોઝીટીવ આવે તો  નીચે જણાવેલ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો તે બીમાર ના હોય તો પણ

·         એચ.આઈ.વી (HIV) અને એઇડ્સ (AIDS) ના નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરવો

·         અન્ય ગુપ્ત રોગો, ટી.બી. અથવા એચ.આઈ.વી (HIV) ના ચેપ સાથે જોડાયેલ અન્ય તકવાદી ચેપો તો શરીર માં નથી ને ! તે અંગે તપાસ (TEST) કરાવવી જરૂરી છે.

·         સ્વસ્થ જીવન પ્રણાલી અપનાવવી અત્યંત અગત્યનું છે. કોઈ પણ પ્રકારના વ્યસન જેવા કે તમાકુ, ધુમ્રપાન, દારૂ અથવા અન્ય નશીલી દવા (MEDICINE)ઓ થી દુર રહેવું અત્યંત જરૂરી છે. અન્યથા આ વ્યસન વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિને નબળી બનાવી દેશે જેને કારણે એચ.આઈ.વી (HIV) ની બીમારી ખુબ ઝડપથી આગળ વધશે.

·         સુરક્ષિત જાતીય સબંધ ખુબ જ અગત્યનું છે. જેના થી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિસાથે જાતીય સબંધ ધરાવતા સાથીદારને એચ.આઈ.વી (HIV) નો ચેપ ન લાગે એ માટે નિયમિત અને યોગ્ય રીતે નિરોધ નો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે.

·         જે વ્યક્તિને એચ.આઈ.વી (HIV) બીમારી હોય તેમણે તેમના જાતીય સબંધ ધરાવતા સાથીદાર સાથે એચ.આઈ.વી (HIV) વિશે ચર્ચા કરવી જોઈએ.

·         કોઈ પણ વ્યક્તિમાં  વપરાયેલ સોય અથવા સિરીંજ અન્ય વ્યક્તિમાં ઉપયોગ કરવો  જોઈએ નહી.

(૨) બાળકો અને એચ.આઈ.વી (HIV)

·         ૧૩ વર્ષથી નાની ઉમરના બાળકોમાં મોટાભાગે એચ.આઈ.વી (HIV) થવાનું કારણ એચ.આઈ.વી (HIV) નો ચેપ તેમની માતા દ્વારા સગર્ભાવસ્થા, પ્રસુતિ કે સ્તનપાન દરમ્યાન  લાગેલ હોય છે. પ્રસુતિ દરમ્યાન  યોગ્ય સારવાર (TREATMENT) અને ઉપાયોથી બાળકમાં એચ.આઈ.વી (HIV)થવાની શક્યતા ૨% કરતાં પણ ઓછી કરી શકાઈ છે.
·         ૧૮ મહિના થી નાના બાળકોના નિદાન માટે પી.સી.આર. ટેસ્ટ (TEST) નો ઉપયોગ કરવામાં આવે છે.

·         સામાન્ય રીતે નવજાત શિશુમાં એચ.આઈ.વી (HIV) નું નિદાન કરવા માટે ૨ થી ૩ મહિનાનો સમય લાગતો હોય  છે.

·         ૨૦% એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત બાળકો તેમના શરૂઆત ના એક વર્ષ નાં જીવનમાં અન્ય કોઈ તકવાદી ચેપનો ભોગ બનતા હોય છે.

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત બાળકોનો વિકાસ ધીમો હોય છે.

·         અમુક બાળકો ને ૧૫ વર્ષ સુધીની ઉમરેપણ કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી જેનું કારણ છે કે તેનામાં રોગ પ્રતિકારક શક્તિ સારા પ્રમાણ માં જળવાયેલ હોય છે.

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત બાળકોમાં સામાન્ય બાળકોમાં જોવા મળતી અન્ય બીમારીઓ વારંવાર તથા ગંભીર રીતે જોવા મળે છે. જેમ કે વારંવાર શરદી, ખાંસી, ઝાડા, તાવ, ન્યુમોનિયા, ખેંચ તથા અન્ય બીમારી વારંવાર થાય છે. જેના કારણે બ્લડના પોષણમાં તકલીફ ઉદ્દભવે છે. અને વારંવાર હોસ્પીટલમાં દાખલ થવુ કે ડોક્ટરની સારવાર (TREATMENT)ની જરૂરીયાત ઉભી થતી હોય છે.

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત બાળકોમાં વયસ્કોમાં જોવા મળતી પી.સી.પી. (Pneumo Cystic Pneumonia)નામની બીમારી પણ વધુ પ્રમાણ માં અને વધુ ગંભીર રીતે જોવા મળે છે.

·         એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત બાળકો શારિરીક બીમારી ઉપરાંત અન્ય પારિવારિક સમસ્યા, નિયમિત સારવાર (TREATMENT) ન લેવી, અપૂરતો શારિરીક વિકાસ અને તેને લગતા પ્રશ્નો ઉદ્દભવતા હોય છે.

(૩) એચ.આઈ.વી (HIV) અને વૃદ્ધાવસ્થા

        ઘણાબધા એચ.આઈ.વી (HIV) ના દર્દીઓ ની ઉમર ૫૦ વર્ષ કરતા પણ વધારે હોય છે.
મોટી ઉંમર ના લોકોમાં એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) વધારે પડકાર જનક હોય છે કારણ કે મોટી ઉંમર ના લોકોમાં ઉંમરની સાથે જોડાયેલ અન્ય બીમારી જેમ કે ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર કે અન્ય બીમારી પણ હોય છે. અને તેની સારવાર (TREATMENT) પણ ચાલતી હોય છે.

મોટી ઉંમર ના લોકો માં સારવાર (TREATMENT) વધારે મુશ્કેલી ભરી હોય છે કારણ કે આ લોકોને તેમની વિવિધ બીમારીઓ માટે એક કરતા વધારે નિષ્ણાંત ડોક્ટરોની સેવાની જરૂર હોય છે.

વૃધાવ્સ્થામાં સામાન્ય રીતે એકલતાનો અનુભવ વિવિધ કારણો જેવા કે ઉંમર, બીમારી, પારિવારિક સભ્યો કે મિત્રના ગુમાવવાને કારણે અનુભવતા જ હોય છે. એચ.આઈ.વી (HIV) નુ નિદાન એકલતાના અનુભવ માં વધારો કરશે અને ખાસ કરીને જો એચ.આઈ.વી (HIV) ના નિદાન વિશે પરિવારના કોઈ સભ્યને જાણ ન કરેલી હોય.

(૪) એચ.આઈ.વી (HIV) પર કાબુ

        એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) માટે નવી ઉપલબ્ધ દવા (MEDICINE)ને કારણે એચ.આઈ.વી (HIV) ની બીમારીનું ચિત્રજ બદલાય ગયેલ છે. રોજ નિયમિત દવા (MEDICINE)ની સાથે સમયાંતરે ડોક્ટરની મુલાકાત, લેબોરેટરી (LABORATORY) ની તપાસ (TEST) તથા સ્વસ્થ જીવન પ્રણાલી જેમકે કસરત, પુરતી ઊંઘ અનેદરેક પ્રકારના વ્યસન થી દુર રહેવા થી એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ પણ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે છે.

        આજના યુગમાં એચ.આઈ.વી (HIV) જીવલેણ બીમારી ન રહેતા ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ની બીમારીની જેમ જીવન ભર યોગ્ય રીતે કાબુમાં લાવી સ્વસ્થ અને સંપૂર્ણ જીવન શકાય છે. પણ હા એચ.આઈ.વી (HIV) અને અન્ય બીમારી જેમ કે ડાયાબીટીસ, અસ્થમા અને બ્લડપ્રેશર વિશે નીચે મુજબ નો તફાવત હોય છે.

એચ.આઈ.વી (HIV) ચેપી બીમારી છે. જે આપના જાતીય સબંધ ધરાવતા સાથીદાર કે નવા જન્મનાર બાળક ને લાગી શકે છે. પણ હા, યોગ્ય સારવાર (TREATMENT) અને કાળજી થી આ ચેપ લાગવાની શક્યતા ખુબ ઓછી કરી શકાય છે.

એચ.આઈ.વી (HIV) સાથે જીવતા લોકોને ઘણી વખત સમાજ માં પ્રચલિત એચ.આઈ.વી (HIV) વિશે  ની ગેર માન્યતાઓના કારણે ભેદ ભાવ ભર્યા વર્તનનો સામનો કરવો પડતો હોય છે. આ ભેદ ભાવ ભર્યા વર્તન ને કારણે ઘણી વખત એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત વ્યક્તિ ડોક્ટર ની સલાહ અને સારવાર (TREATMENT) થી દુર રહેતા હોય છે. જે કમનસીબે આવા દર્દીઓ માટે જીવલેણ સાબિત થતું હોય છે.

એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) સાથે જોડાયેલ દવા (MEDICINE)ઓની આડ-અસર અન્ય લાંબા ગાળાની માંદગી જેમકે ડાયાબીટીસ અને ઊંચું બ્લડ પ્રેશર ની સારવાર (TREATMENT) સાથે જોડાયેલ દવા (MEDICINE)ઓની આડ-અસર કરતા વધારે જોવા મળે છે.

(૫) એચ.આઈ.વી (HIV) પોઝીટીવનો શું અર્થ છે ?

        એચ.આઈ.વી (HIV) પોઝીટીવ નો અર્થ થાય છે કે આપના શરીરમાં એચ.આઈ.વી (HIV) નામના વાયરસ હાજર છે કે આપને એચ.આઈ.વી (HIV) નામના વાયરસનો ચેપ લાગેલ છે.

        જો કોઈ વ્યક્તિ એચ.આઈ.વી (HIV) પોઝીટીવ હોય તો તે વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ સાથે જાતીય સબંધ ધરાવતા સાથીદારને પણ એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી શકે છે. જો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત ગર્ભવતી સ્ત્રી પુરતી કાળજી ન રાખે તો  જન્મનાર બાળકને એચ.આઈ.વી (HIV) થવાની શક્યતા છે.

        જો એક વખત એચ.આઈ.વી (HIV) ના વાયરસનો ચેપ કોઈ પણ વ્યક્તિ ને લાગી જાય તો આ ચેપ વ્યક્તિને જીવનભર રહે છે. એચ.આઈ.વી (HIV) ના વાયરસ ને ઝડ મૂળ માંથી નાબુદ કરી શકે તેવી દુનિયામાં કોઈ પણ પ્રકારની દવા (MEDICINE) કે સારવાર (TREATMENT) પદ્ધતિ ઉપલબ્ધ નથી. જો વ્યક્તિ એચ.આઈ.વી (HIV) ની સારવાર (TREATMENT) ન લે તો એચ.આઈ.વી (HIV) ના ચેપ ને કારણે એઇડ્સ (AIDS) નામની ગંભીર પરિસ્થિતિ ઉદ્દભવે છે. સામાન્ય રીતે એઇડ્સ (AIDS) થયા પછી વ્યક્તિ જો સારવાર (TREATMENT) ન લે તો ૧ કે ૨ વર્ષ માં જ વ્યક્તિનું મૃત્યુ થતું જોવા મળે છે.

        પણ હા, વૈજ્ઞાનિક મદદથી હાલની મોર્ડન એન્ટી રીટ્રોવાયરલ થેરાપીને કારણે એચ.આઈ.વી (HIV) પર કાબુ મેળવી જીવન ભર એચ.આઈ.વી (HIV) સાથે સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકાય છે. પરંતુ આ માટે જરૂરી છે, વ્યક્તિ દ્વારા યોગ્ય અને નિયમિત સારવાર (TREATMENT) જીવનભર શરૂ રાખવી. દુનિયામાં ઘણાબધા લોકો એચ.આઈ.વી (HIV) સાથે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
        આ માટે દરેક વ્યક્તિએ જીવન માં એક વાર એચ.આઈ.વી (HIV) નું નિદાન વહેલા સર યોગ્ય સમયે કરાવી લેવું અત્યંત આવશ્યક છે કે જેથી વ્યક્તિ સ્વસ્થ જીવન  જીવી શકેઅને તેમની સાથે જાતીય સબંધ ધરાવતા સાથીદાર અને આપના પરિવાર ને પણ એચ.આઈ.વી (HIV) થી બચાવી શકાય.

        એચ.આઈ.વી (HIV) પોઝીટીવ હોવાનો અર્થ આપને એઇડ્સ (AIDS) છે એવું બિલકુલ થતો નથી. એઇડ્સ (AIDS) એ એચ.આઈ.વી (HIV) ના ચેપ નો અંતિમ તબક્કો છે. સમયસર યોગ્ય અને નિયમિત સારવાર (TREATMENT) લેવામાં આવે તો જીવન ભર એઇડ્સ (AIDS) થતો અટકાવી શકાય છે.

(૬) એચ.આઈ.વી (HIV) નું નવું નિદાન

        એચ.આઈ.વી (HIV) ના નિદાન ને સ્વીકારવું ઘણા લોકો માટે ઘણું મુશ્કેલી ભર્યું હોય છે. માનવીનું  મન ઘણા જવાબ વગર ના સવાલ અને ચિંતાઓ થી ઘેરાયેલ હોય છે. નીચે જણાવેલ મુદ્દાઓ આપને એચ.આઈ.વી (HIV) નું નવું નિદાન સ્વીકારવામાં તેમજ જરૂરી સારવાર (TREATMENT) માટે મદદરૂપ થશે.

(૭) ગભરાશો નહિ, શાંત ચિત્તે વિચારો

        આ જીવનને બદલાવનાર સમાચાર હોય શકે. પરંતુ આ વ્યક્તિને જીવન અને સ્વાસ્થ્યને વધુ સારી રીતે સાંભળવા માટે ની તક છે.

        વ્યક્તિએ મુંજવતા સવાલોની યાદી તૈયાર કરવી. મોટા ભાગે એચ.આઈ.વી (HIV) નું નિદાન કરનાર ડોક્ટર અને એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર ની મુલાકાત વચ્ચે થોડા દિવસ નું અંતર  હોય છે. તો આ સમયે વ્યક્તિએ પોતાના મનમાં ઉદ્દ્ભવતા દરેક સવાલો, મુંજવણ, શંકા અને ડર દરેકની યોગ્ય યાદી બનાવવી કે જેથી એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર ની મુલાકાતે જાય ત્યારે તેમની સાથે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી શકાય. વ્યક્તિના મનમાં આવતા કોઈ પણ વિચાર ખરાબ, નાના કે અયોગ્ય નથીબનાવેલી યાદી માંથી ઘણા સવાલોના જવાબ કે સમસ્યાનું નીરાકરણ  જાતે મળી જશે. જયારે બાકીના મુદ્દાઓના ઉપાયો ડોક્ટર પાસેથી જાણી શકાય છે.



(૮) નિદાનને સમજો

સવાલોની યાદી બનાવ્યા પછી થોડો સમય આ નિદાન ને સમજવા જોઈએ કે એચ.આઈ.વી (HIV) પોઝીટીવ નો અર્થ શું ? તેના માટે વેબ સાઈટ, પુસ્તકો કે  ડોક્ટર ની મદદ લઇ શકાય  છે.

(૯) સપોર્ટ કરનાર શોધો

        એચ.આઈ.વી (HIV) ના નિદાન પછી આપને કોઈ વ્યક્તિ સપોર્ટ કરે તે અત્યંત અગત્યનું છે. આ સપોર્ટ કરનાર વ્યક્તિ કોઈ પણ હોય શકે છે જેમકે આપના જીવનસાથી, પરિવારના કોઈ સભ્ય, મિત્ર કે સમાજની કોઈ પણ વ્યક્તિ જેના પર તમને પુરતો વિશ્વાસ અને ભરોસો હોય. જો તમારા પરિચિત માંથી કોઈને કહેવાની હિંમત ન કરી શકતા હોય તો એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર નો સંપર્ક કરો જે આપને એચ.આઈ.વી (HIV) પોઝીટીવ લોકો માટે કાર્યરત સપોર્ટ ગ્રુપ કે અન્ય સંસ્થા નો સંપર્ક કરાવી આપશે. જ્યાં આપ આપની વાત કે મુંજવણ વિષે ત્યાનાં કાઉન્સેલર ને કહી શકશો.

એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર દરેક વ્યક્તિ ના સારા સ્વાસ્થ્ય માટે ભાગીદાર છે.  તમારા ડોક્ટર સાથે ખુલ્લા મનથી અને સચ્ચાઈ પૂર્વક વાત કરો તો તમારી યોગ્ય સારવાર (TREATMENT) માટે અત્યંત જરૂરી અને આવશ્યક પરીબળ છે. કારણ કે આપે આપેલ માહિતીનાં અધારેજ ડોક્ટર આપના માટે સારવાર (TREATMENT) ના વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ ની પસંદગી કરી શકશે.

(૧૦) ડોક્ટર સાથે ની પહેલી મુલાકાત માટેની તૈયારી કરો

        હા એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોક્ટર સાથે ની પહેલી મુલાકાત પહેલા કે મુલાકાત દરમ્યાન  વ્યક્તિ થોડા ચિંતિત કે ગભરાયેલા હોય તે  સર્વ સામાન્ય બાબત છે. આ માટે ચિંતા કરવાની જરૂર નથી આપના સવાલોની યાદી આપના ડોક્ટર સાથે પ્રમાણિકતા પૂર્વક કરો. યાદ રાખો કોઈ ડોક્ટર થી કોઈ પણ માહિતી છુપાવશો નહી. ડોક્ટર આપની અંગત વાત અન્ય કોઈ પણ વ્યક્તિ ને કહેતા નથી. એ માટે કોઈ પણ બિન જરૂરી ચિંતા ના કરવી જોઈએ.





(૧૧) નિદાન વિષે કોને કહેવું જોઈએ એ વિશે વિચારો
       
એચ.આઈ.વી (HIV) નું નિદાન થયા પછી સૌથી અઘરું કાર્ય હોય તો તે પોતાના  નિદાન વિશે અન્ય ને જાણ કરવી. યાદ રાખો કે આ નિદાન વિષે દરેક લોકોને કહેવાની જરૂર નથી અને એ પણ યાદ રાખો કે આ નિદાન વિષે કોઈને પણ જાણ ન કરવી એ પણ યોગ્ય નથી. વ્યક્તિએ પોતાના ડોક્ટર અને પોતાની સાથે જાતીય સબંધ ધરાવતા સાથીદાર ને તો જણ કરવી જ જોઈએ. મારો અનુભવ એ  છે કે જે દર્દીઓ તેમના નિદાન ની વાત તેમના પરિવારજનો ને કહે છે તે ચિંતા મુક્ત કે કોઈ પણ પ્રકારના ડર વગર યોગ્ય સારવાર (TREATMENT) કરાવી એચ.આઈ.વી (HIV) સાથે પણ ઉત્તમ જીવન જીવી શકે છે.

(૧૨) સ્ત્રી અને એચ.આઈ.વી (HIV)

·         સ્ત્રી અને પુરુષ બંનેને એક સરખી સારવાર (TREATMENT)ની જરૂરીયાત હોય છે. પરંતુ આ બંને ની સારવાર (TREATMENT) વચ્ચે થોડો તફાવત હોય છે.

·         એચ.આઈ.વી (HIV) ની બીમારીને કારણે સ્ત્રી અન્ય સ્ત્રીજ્ન્ય રોગો જેવા કે લાંબા સમય થી થતો યોની માર્ગ નો ફૂગ નો ચેપ, સ્ત્રીના પ્રજનન અંગોનો ચેપ કે પછી ગર્ભના મુખનાં કેન્સર ની બીમારી એચ.આઈ.વી (HIV) ન ઘરાવતી સ્ત્રીની સારખામણી માં વધારે જોવા મળે છે.

·         સ્ત્રીઓ તેમની ગર્ભાવસ્થા કે નવા આવનાર બાળક વિષે ચિંતિત હોય છે. આ માટે એચ.આઈ.વી (HIV) નાં નિષ્ણાંત ડોક્ટર સાથે ચર્ચા કરવી તે સૌથી ઉત્તમ છે.

·         જે સ્ત્રીને એચ.આઈ.વી (HIV) નું નિદાન થાય તેમને ગર્ભાશય નાં મુખના કેન્સરના નિદાન માટે કરવામાં આવતી પેપ ટેસ્ટ (TEST) અને અન્ય પ્રજનન અંગો સાથે જોડાયેલ બીમારી નું નિદાન કરાવવું જોઈએ. જો પેપ ટેસ્ટ (TEST) સામાન્ય આવે તો ૬ મહિના પછી ફરીથી પેપ ટેસ્ટ (TEST) કરાવવો જોઈએ.

·         કાપોસીસ સારકોમા નામનું એઇડ્સ (AIDS) દર્શાવતું કેન્સર સ્ત્રીઓમાં પુરુષો કરતા ઓછુ જોવા મળે છે.

·         સામાન્ય રીતે સ્ત્રીઓ માં પુરુષોની સરખામણીમાં એચ.આઈ.વી (HIV) નું નિદાન મોડું થતું હોય છે.








પ્રકરણ ૧૨ – નવું નિદાન : એચ.આઈ.વી (HIV) અને માનવ શરીર

(૧) એચ.આઈ.વી (HIV)વાયરસ નું જીવન ચક્ર

        એચ.આઈ.વી.ના વાયરસમનુષ્યનાં શરીરમાં શું ફેરફાર કરે છે? જયારે એચ.આઈ.વી (HIV)ના વાયરસ મનુષ્યના શરીર માં પ્રવેશે ત્યાર પછી શરીરની રોગ પ્રતિકારક સીસ્ટમ માં ઘણા ફેરફારો થાય છે.

        એચ.આઈ.વી (HIV)શરીરની ઘણી બધી કોષિકાઓ ઉપર હુમલો કરે છે. પરંતુ તે મુખ્યત્વે રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી એવા સી.ડી.૪ નામના કણો પર હુમલો કરે છે.

(૨) મનુષ્યના શરીરની રોગ પ્રતિકાર શક્તિ

        મનુષ્યની શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબુત હોય છે કે જયારે માનવના શરીર પર અન્ય કોઈ જીવાણું, બેક્ટેરિયા કે વાયરસ હુમલો કરે છે ત્યારે તેમને યોગ્ય રીતે ઓળખી તેનો નાશ કરવો અને માનવ શરીર ને બીમારીનો ભોગ બનતું અટકાવવું. આ મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિનો જરૂરી ભાગ છે. સી.ડી.૪ નામના કણ માનવ શરીરને અનેક રોગો થી બચાવવા માટે મદદરૂપ થાય છે. પરંતુ એચ.આઈ.વી (HIV)નામનો વાયરસ માનવ શરીર માં રહેલ સી.ડી.૪ પર હુમલો કરી સી.ડી.૪ ની સંખ્યામાં સતત ઘટાડો કરે છે. એચ.આઈ.વી (HIV)ના વાયરસ માનવ શરીરના સૈનિકો સી.ડી.૪ કરતા વધારે શક્તિ શાળી હોય છે. સામાન્ય વ્યક્તિ માં સી.ડી.૪ ની સંખ્યા ૪00 થી ૧૫૦૦ હોય છે. જયારે એચ.આઈ.વી (HIV)વાયરસ મનુષ્યના શરીર માં દાખલ થાય છે  ત્યાર પછી ધીમે ધીમે સતત સી.ડી.૪ ની સંખ્યામાં ઘટાડો કરતા રહે છે. સામાન્ય રીતે ૮ થી ૧૦ વર્ષ માં સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી થઇ જાય છે અને અન્ય કોઈ ગંભીર બીમારીઓ જેમ કે ટી.બી. કે કેન્સર અને જે પરિસ્થિતિ ઉદ્દ્ભવે તેને એઇડ્સ (AIDS) તરીકે ઓળખાય છે.

(૩) એચ.આઈ.વી (HIV)ચેપ ના સ્ટેજ

        જો કોઈ વ્યક્તિને એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગેલ હોય અને એચ.આઈ.વી (HIV)સારવાર (TREATMENT) ન લે તો તે વ્યક્તિને એઇડ્સ (AIDS) થવાની શક્યતા ઘણી વધારે (લગભગ ૯૫ ટકા) હોય છે. એઇડ્સ (AIDS) થયા પછી પણ જો વ્યક્તિ સારવાર (TREATMENT) ન લે તો વ્યક્તિનું એક થી બે વર્ષ માં મૃત્યુ નક્કી છે. પરંતુ યોગ્ય સારવાર (TREATMENT) થી એઇડ્સ (AIDS) મટી શકે છે. પણ એચ.આઈ.વી (HIV)મટાડવું શક્ય નથી.
        સારા સમાચાર તો એ છે કે હાલમાં ઉપલબ્ધ એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ઘણી અસરકારક છે. જે મનુષ્યના શરીર માં રહેલ એચ.આઈ.વી (HIV)વાયરસ ની સંખ્યામાં ૯૯% કરતા પણ વધારે ઘટાડો કરવામાં સક્ષમ છે. જેને કારણે એ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે. જે વ્યક્તિને અન્ય નવી બીમારી થતી અટકાવશે અને એઇડ્સ (AIDS) ની સામે રક્ષણ આપશે.

        એચ.આઈ.વી (HIV)ના મુખ્ય સ્ટેજ નીચે પ્રમાણે છે. આ સ્ટેજ ની ગતી વિવિધ પરિબળો પર આધાર રાખે છે. આ સ્ટેજ ની ગતિ દરેક દર્દીઓમાં વત્તા-ઓછા પ્રમાણમાં અલગ અલગ હોય છે.

સ્ટેજ ઝીરો ()         

        એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગ્યાના ૨ થી ૪ અઠવાડિયા ની અંદર વાયરલ તાવ જેવા લક્ષણો જોવા મળે છે. જેમાં મુખ્યત્વે તાવ આવવો, લસીકા ગ્રંથી માં સોજો આવવો કે તેની ગાંઠો દેખાવી, ગળા માં સોજો આવવો, ચામડી પર લાળ ડાઘ પડવા, સ્નાયુ અને સાંધા માં દુખાવો થવો, થાક લાગવો કે માથું દુખવું. આ સ્ટેજ એક્યુટ રીટ્રોવાયરલ સિન્ડ્રોમ ” (Acute Retroviral Syndrome ) અથવા પ્રાઈમરી એચ.આઈ.વી (HIV)ઇન્ફેકશન ( Primary HIV Infection ) તરીકે ઓળખાય છે.

        આ તબક્કામાં એક વ્યક્તિ થી બીજા વ્યક્તિ સાથે જાતીય સંબંધ ધરાવનાર સાથીદાર કે ઇન્જેક્શનની અદલા-બદલી કરવાને કારણે બીજાને ચેપ લાગવાની શક્યતા ખુબ વધારે હોય છે. કારણ કે આ તબક્કામાં લોહીની અંદર એચ.આઈ.વી (HIV)ના વાયરસની સંખ્યા એક મી.લી. લોહીમાં લાખોની હોય  છે.

સ્ટેજ પ્રથમ -

        આ તબક્કો જુદા-જુદા નામે ઓળખાય છે. જેમ કે લક્ષણો રહિત તબક્કો (Clinical Latency  Or Symptomatic HIV Infection or Cronic HIV Infection) જેમાં વ્યક્તિને સામાન્ય રીતે એચ.આઈ.વી.ને સંબંધીત કોઈ પણ પ્રકારની તકલીફ કે લક્ષણો જોવા મળતા નથી. આ તબક્કો ૮ થી ૧૦ વર્ષ સુધી ચાલી શકે છે. આ તબક્કામાં લોહી માં  એચ.આઈ.વી.ના વાઇરસની સંખ્યા ઝીરો સ્ટેજ કરતા ઓછી હોય  છે. વાઇરસની સંખ્યામાં વધારો પણ ધીમો હોયછે. સામાન્ય રીતે આ તબક્કા દરમ્યાન દર વર્ષે સી.ડી.૪ ની સંખ્યામાં રોગ પ્રતિકારક શક્તિમાં ૩૫ થી ૫૦ નો ઘટાડો જોવા મળતો હોય  છે.
        આ તબક્કામાં એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિથી બીજા ને ચેપ લાગવાની શક્યતા રહેલી છે. જો કોઈ વ્યકિત ની સારવાર (TREATMENT) શરૂ હોય  તો પણ એ વ્યક્તિ થી બીજા વ્યક્તિને ચેપ લાગી શકે છે પણ તેની શક્યતા ખુબ ઓછી હોય  છે.

        જો આ તબક્કામાં દવા (MEDICINE) શરૂ કરવામાં  ન આવે તો ધીમે ધીમે વ્યકિતનાં શરીરમાં એચ.આઈ.વી (HIV)ના વાયરસની સંખ્યામાં વધારો થતો જશે અને રોગ પ્રતિકારક શક્તિ સી.ડી.૪ની  સંખ્યા  માં ઘટાડો જોવા મળે છે. જે પછી ધીમે ધીમે એ વ્યક્તિમાં  એચ.આઈ.વી.ની બીમારી સંબંધીત લક્ષણો દેખાવાની શરૂઆત થશે.

સ્ટેજ  બીજો -

        આ તબક્કામાં વ્યક્તિને એચ.આઈ.વી (HIV)ને સંબધીત વિવિધ પ્રકારના લક્ષણો અને ચિન્હો જોવા મળશે, પરંતુ સી.ડી.૪ની સંખ્યા ૨૦૦ કરતા વધારે હોય છે. આમાં વ્યક્તિને વારંવાર એક ને એક પ્રકારની બિમારી થાય છે અથવા કોઈ બિમારી માટે યોગ્ય સારવાર (TREATMENT) આપવા છતાં પણ આ બિમારી પર સારવાર (TREATMENT)ની કોઈ અસર જોવા મળતી નથી. આ તબક્કામાં વ્યક્તિને તાવ આવવો, ભૂખ ઓછી લાગવી, વજન ઘટી જવું, ચામડી પર ચેપ લાગાવો કે અન્ય ચામડીની બીમારી થવી, વારંવાર શરદી કે ખાંસી થવી, પેશાબમાં ચેપ લાગવો અને ગુપ્ત રોગોની બિમારી જોવા મળે છે.

સ્ટેજ ત્રણ ( એઇડ્સ (AIDS) )

        જ્યારે રોગ પ્રતિકારક શક્તિ સી.ડી ૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઘટી જાય છે ત્યારે શરીરમાં ગંભીર પ્રકારના અન્ય બિમારીઓ ના ચેપ લાગવાની શક્યતા ખુબ વધી જાય છે. જે તકવાદી ચેપ તરીકે ઓળખાય છે. આમ એચ.આઈ.વી (HIV)ના વાયરસ ની હાજરી, સી.ડી.૪ ની સંખ્યા ૨૦૦ કરતા ઓછી અને અન્ય ગંભીર પ્રકારના તકવાદી ચેપ એમ ત્રણેય નું મિશ્રણ થાય તેમને એઇડ્સ (AIDS) તરીકે ઓળખવામાં આવે છે. જો એઇડ્સ (AIDS) ના તબક્કમાં પહોંચ્યા પછી પણ દર્દીની સારવાર (TREATMENT) ચાલુ કરવા માં ન આવે તો દર્દીનું એક થી બે વર્ષ માં મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે. જો એઇડ્સ (AIDS) થયા પછી પણ યોગ્ય સારવાર (TREATMENT) શરૂ કરી દેવામાં આવે તો પણ વ્યક્તિ એઇડ્સ (AIDS) મુક્ત થઇ સ્વસ્થ જીવન જીવી શકે તેવી શક્યતા રહેલી છે. પરંતુ એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) જેટલી વહેલી શરૂ કરવામાં આવે તેટલી સારવાર (TREATMENT) ની સારી અસર આવવાની શક્યતા રહેલી છે અને જીવન ભર એઇડ્સ (AIDS) થતો અટકાવી શકાઈ છે. આ માટે એચ.આઈ.વી (HIV)દવા (MEDICINE) શરૂ કરી દેવી જોઈએ.
(૪) બીમારી વધતી અટકાવતા કે વધારતા પરિબળો

        એક સ્ટેજ માંથી બીજા સ્ટેજ માં જવા માટેનો સમય ગાળો દરેક વ્યક્તિઓ માટે જુદો જુદો હોય છે. આ સમયગાળો વિવીધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે વ્યક્તિની આનુવંશીક્તા પર, એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગે તે પહેલા વ્યક્તિ કેટલા સ્વસ્થ હતા, એચ.આઈ.વી (HIV)ચેપ લાગ્યા પછી કેટલા સમયે તેનું નિદાન થયું, નિદાન થયા બાદ કેટલા સમય પછી સારવાર (TREATMENT) શરૂ કરવામાં આવી, શું વ્યક્તિ નિયમિત રીતે એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) નાં નિષ્ણાંત ડોક્ટર ની મુલાકાત લે છે કે નહિ, તેમના સલાહ સૂચન પ્રમાણે સમયસર દવા (MEDICINE) લે છે કે નહિ, સ્વસ્થ જીવન પ્રણાલી પર, આરોગ્યપ્રદ ખોરાક લેવો, કસરત કરવી અને વ્યસન થી દુર રહેવું જોઈએ.

એચ.આઈ.વી.નો ચેપ અને એઇડ્સ (AIDS) વચ્ચે નો સમયગાળા ને ઘટાડતા પરીબળો

·         મોટી ઉમર
·         એચ.આઈ.વી (HIV)ના પ્રકાર
·         અન્ય કોઈ વાયરસ નો ચેપ
·         કુપોષણ
·         ચિંતા
·         આનુવંશિકતા
·         દવા (MEDICINE) સમયસર શરૂ ન કરવી
·         દવા (MEDICINE) નિયમિત ન લેવી

એચ.આઈ.વી.નો ચેપ અને એઇડ્સ (AIDS) વચ્ચે નો સમયગાળા ને વધારતા પરિબળો

·         સમયસર દવા (MEDICINE)ની અને અન્ય સારવાર (TREATMENT) લેવી
·         નિયમિત એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર ની મુલાકાત લેવી
·         ડોક્ટર ના સલાહ સૂચનનું પાલન કરવું
·         આરોગ્યપ્રદ યોગ્ય ખોરાક ખાવો
·         પોતાના જાતની કાળજી રાખવી
·         વ્યસનથી દુર રહેવું
·         નિયમિત લોહીની તપાસ (TEST) કરાવવી

યોગ્ય નિર્ણય લેવા અને તેનું પાલન કરવાથી વ્યક્તિ પોતાની જાત ને એચ.આઈ.વી (HIV)થયો હોવા છતાં પણ એઇડ્સ (AIDS) થતો અટકાવી શકે  છે.
       
ઉપર જણાવ્યા પ્રમાણે જો નિયમિત એન્ટી રીટ્રોવાયરલ થેરાપી ની સારવાર (TREATMENT) લેવામાં આવે તો એચ.આઈ.વી (HIV)ના વાયરસની સંખ્યામાં ૯૯% સુધી ઘટાડો કરી શકાય છે. અને તમારી રોગ પ્રતિકારક શક્તિ સી.ડી.૪ નું નુકશાન થતું મહદ્ અંશે ઘટાડી શકાય છે. એઇડ્સ (AIDS) સાથે જોડાયેલ બીમારીની યોગ્ય સારવાર (TREATMENT) કરીને એઇડ્સ (AIDS) માંથી મુક્ત થઇ શકાય છે. પણ એચ.આઈ.વી (HIV)ની બીમારી માંથી સંપૂર્ણ પણે મુક્તિ શક્ય નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખવા જેવી છે કે જેટલું વહેલું નિદાન કરવામાં આવે અને તેની સારવાર (TREATMENT) લેવામાં આવે તેટલું વ્યક્તિ નું  સ્વસ્થ જળવાશે અને આયુષ્ય લંબાશે. આને માટે આ સુત્ર યાદ રાખો વહેલું નિદાન, સ્વસ્થ અને સંપૂર્ણ જીવન ”.
       
પણ દરેક લોકો એટલા નશીબદાર નથી હોતા. અમુક લોકોનું એચ.આઈ.વી (HIV)નું નિદાન એચ.આઈ.વી.નાં અંતિમ તબક્કા માં એટલે કે એઇડ્સ (AIDS) ની પરિસ્થિતિ માં થાય છે. જેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ ઘણા વર્ષોથી એચ.આઈ.વી (HIV)સાથે જીવી રહ્યો છે પણ તેમનું એચ.આઈ.વી (HIV)નું નિદાન ઘણું મોડું થયુ છે. આ સમયગાળા માં એચ.આઈ.વી (HIV)ના વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિને ગંભીર રીતે નુકશાન કરી ચૂકેલ હોય છે. આવા વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર (TREATMENT) કરવાની જરૂર હોય છે.
(૫) એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT)
       
એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) દરેક ડોક્ટર કરી શકતા નથી. એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) એચ.આઈ.વી (HIV)નાં નિષ્ણાંત ડોક્ટર, અમુક એમ.ડી. ફીઝીશીયન કે અમુક ચામડી ના રોગોના નિષ્ણાંત ડોકટરો દ્વારા કરવામાં આવતી હોય છે. જો તમારા ડોક્ટર એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT) ન કરતા હોય તો તમારા ડોક્ટર તમારી સારવાર (TREATMENT) માટે એચ.આઈ.વી (HIV)અને એઇડ્સ (AIDS) નાં નિષ્ણાંત ડોક્ટર પાસે મોક્લશે.
       

એચ.આઈ.વી (HIV)ચેપ ધરાવનાર દરેક વ્યક્તિએ તેમની બીમારીને લગતી કોઈ પણ સારવાર (TREATMENT) કરાવવાનો તથા સ્વસ્થ જીવન જીવવા નો અધિકાર છે. આ માટે મોટા ભાગના ડોક્ટર, હોસ્પિટલ કે કલીનીક (CLINIC) દ્વારા એચ.આઈ.વી (HIV)નાં દર્દીઓ ને કોઈપણ પ્રકાર ના ભેદ ભાવ વગર યોગ્ય સારવાર (TREATMENT) આપવામાં આવતી હોય છે. આ માટે દર્દીઓ કોઈ પણ તકલીફ માટે અન્ય કોઈ ડોક્ટરોની મુલાકાત માટે જાય ત્યારે તેમની એચ.આઈ.વી (HIV)ની બીમારી તથા તેને લગતી સારવાર (TREATMENT) વિષે  ડોક્ટરને અવશ્ય જાણ કરવી જોઈએ. જેથી ડોક્ટર આપની બીમારીને અનુરૂપ યોગ્ય નિદાન, સારવાર (TREATMENT) અને દવા (MEDICINE) આપી શકે. અને ડોક્ટર પણ યોગ્ય નિર્ણય લઇ શકે. જેથી બંને દવા (MEDICINE)ઓ સાથે શરૂ કરવાથી પણ એચ.આઈ.વી (HIV)ની સારવાર (TREATMENT)માં કોઈ નુકશાન ન થાય.

No comments:

Post a Comment